પ્રધાનમંત્રી 14 એપ્રિલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
April 13th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 એપ્રિલ 2026 ના રોજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના એલિવેટેડ સેક્શન પરના વાઇલ્ડલાઇફ કોરિડોરની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના સહારનપુરની મુલાકાત લેશે. સવારે લગભગ 11:40 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂન નજીક જય મા દાત કાલી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:30 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂનમાં એક જાહેર કાર્યક્રમમાં દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદઘાટન કરશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.