ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતીના સમાપન અવસરે વિશ્વભરમાં પથરાયેલાં ગુજરાતીઓ માટે ગુજરાત કેન્દ્રી કિવઝ કોમ્પીટીશન યોજવામાં આવનાર છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કવીઝ કોમ્પીટીશન નવી પેઢી માટે મહત્વનું કદમ બની રહેશે.

સેમીનાર હોલ-૪ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૩ જી મે ના રોજ યોજાનાર રાજય કક્ષાની સ્પર્ધાનો સવારે ૯-૦૦ કલાકથી પ્રારંભ થશે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત કિવઝના નિર્ણાયક ચરણમાં વિજેતાઓનું અભિવાદન કરશે.વિશ્વભરમાં પથરાયેલાં ગુજરાતીઓ માટે ગુજરાત કવીઝ ઓન લાઇન ગ્લોબલ કોમ્પીટીશન ૩ જી મે ૨૦૧૧ થી શરૂ કરાશે.

રાજયના સ્વર્ણિમ ભવિષ્ય માટે સંકલ્પબધ્ધ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અંતર્ગત સ્વર્ણિમ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળે ગુજરાત કિવઝ યોજવામાં આવી હતી. શાળા અને કોલેજોમાં યોજાયેલી ગુજરાત કેન્દ્રી કવીઝ કોમ્પીટીશનના અંતિમ ચરણમાં અને નવી પેઢી માટેના આ મહત્વના અવસરમાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલવોરા, શિક્ષણરાજયમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, શિક્ષણરાજયમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી હસમુખ અઢિયા સહિત સમગ્ર રાજયમાંથી સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.

Explore More
Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya

Popular Speeches

Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya
India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA

Media Coverage

India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 7th March 2026
March 07, 2026

Reform, Perform and Transform: PM Modi’s Mantra for India’s Growth